આ હદીષમાં નબી ﷺ એક મુસલમાનના બીજા મુસલમાન પર લાગુ થતાં પાંચ હકો વિષે જણાવ્યું, પહેલો હક: સલામ કરવાવાળાને સલામનો જવાબ આપવામાં આવે. બીજો હક: બીમાર વ્યક્તિની ખબરગીરી કરવા માટે જવું. ત્રીજો હક: મૃતક વ્યક્તિ સાથે તેના ઘરથી લઈ મસ્જિદ સુધી અને મસ્જિદ થી લઈ કબ્રસ્તાન સુધી જઈ દફનવિધી સુધી સાથે રહેવું. ચોથો હક: દાવત સ્વીકારવી, જયારે તે પોતાના વલીમા અને આવી જ રીતે અન્ય પ્રસંગમાં દાવત આપે. પાંચમો હક: છીંકનો જવાબ આપવો અર્થાત્ જ્યારે કોઈ વ્યક્તિને છીંક આવે અને તે "અલ્ હમ્દુ લિલ્લાહ" કહે તો તેના જવાબમાં "યરહમુકલ્લાહ" કહેવું, જેના જવાબમાં છીંકવાવાળો વ્યક્તિ "યહદીકુમુલ્લાહ વ યુસલિહ બાલકુમ" કહેશે.