આપ ﷺ સહાબા વચ્ચે બેઠા હતા, અને કહ્યું: તે સમયની વાત છે જ્યારે ઇલ્મ ઉઠાવી અને છીનવી લેવામાં આવશે, ઝિયાદ બિન લબીદ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ ને આશ્ચર્ય થયું, અને તેમણે આપ ﷺ ને સવાલ કર્યો, તેમણે કહ્યું: કેવી રીતે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે અને ઇલ્મ નષ્ટ થઈ જશે? ! જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ અને યાદ પણ કરીએ છીએ; અલ્લાહની કસમ અમે જરૂર તેને પઢીએ છીએ, અમારા ઘરની સ્ત્રીઓ પઢે છે, અમારા બાળકો પઢે છે, અમારા બાળકોના બાળકો પઢે છે, આપ ﷺ એ આશ્ચર્યથી કહ્યું: તમારી માતા તમને ગુમ કરે હે ઝિયાદ !: હું તો તમને મદીનાના જાણકાર લોકો માંથી સમજતો હતો! પછી આપ ﷺ એ સ્પષ્ટતા કરી: ઇલ્મનું વ્યર્થ થવાનો મતલબ એ નથી કે કુરઆન વ્યર્થ થઈ જશે અથવા કે ખોવાઈ જશે; પરંતુ તેનો મતલબ એ કે અમલ વ્યર્થ થઈ જશે, જેના કારણે ઇલ્મ પણ ખોવાઈ જશે, એવી જ રીતે તૌરાત અને ઈંજિલ યહૂદી અને નસરાની પાસે હતી; તેઓએ તે બંને આકાશીય પુસ્તકો માંથી ફાયદો ન ઉઠાવ્યો, તેમજ તેનો જે હેતુ હતો તેનાથી પણ ફાયદો ન ઉઠાવ્યો, અને તેના ઇલ્મ પ્રમાણે અમલ ન કર્યો!