આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે જનાઝો તૈયાર કરી ખાટલા પર મુકવામાં આવે અને લોકો તેને પોતાના ખભે ઉઠાવે, જો તે સદાચારી વ્યક્તિનો જનાઝો હશે તો કહેશે: મને આગળ લઈ જાઓ, તે નેઅમતોની પ્રાપ્તિ માટે જે તે જોઈ રહ્યો છે, અને જો તે જનાઝો કોઈ દુરાચારી વ્યક્તિનો હશે તો તે ભયાનક અવાજમાં કહેશે: હાય મારી નષ્ટતા! મને ક્યાં લઈ જઈ રહ્યા છો?! અઝાબને જોઈ લેવાના કારણે, માનવી સિવાય દરેક સર્જન તેનો અવાજ સાંભળે છે, જો માનવી તેનો અવાજ સાંભળી લે તો તે અવાજની ભયાનકતાના કારણે બેભાન થઈ જાય.