આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે કયામતની નજીક તેની નિશાનીઓ માંથી એક એ પણ કે દીનનું ઇલ્મ અર્થાત્ શરીઅત (કુરઆન અને હદીષ) નું ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અને તે એક આલિમના મૃત્યુ દ્વારા, જેના પરિણામ રૂપે અજ્ઞાનતા ફેલાય જશે, વ્યભિચાર અને શરાબ (દારૂ) પીવું સામાન્ય થઈ જશે, પુરુષો ઓછા અને સ્ત્રીઓની સંખ્યા વધી જશે, અહીં સુધી કે પચાસ સ્ત્રીઓ વચ્ચે ફક્ત એક જ પુરુષ તેમની સંભાળ રાખનાર અને તેમની દેખરેખ કરનારો હશે.