આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા જેના માટે ભલાઈનો ઈરાદો કરે છે તો તેને દીનનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપે છે, અને આપ ﷺ તો ફક્ત વિભાજીત કરવાવાળા છે, રોજી તેમજ ઇલ્મ અને આ પ્રમાણેની અન્ય વસ્તુઓમાં, ખરેખર આપવાવાળી ઝાત તો અલ્લાહની જ છે, એના વગરના જેટલા સ્ત્રોત છે, તે અલ્લાહના હુકમ વગર કોઈ ફાયદો નહીં પહોંચાડી શકે, અને આ ઉમ્મત (કોમ) હમેંશા અલ્લાહના આદેશ પર કાયમ રહેશે, અને જે વ્યક્તિ તેનો વિરોધ કરશે, તે તેને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય.