આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે વ્યક્તિઓનું વર્ણન કર્યું, એક આબેદ અને એક આલિમ, કે બન્ને માંથી શ્રેષ્ઠ કોણ છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શરીઅતનું જ્ઞાન પ્રાપ્ત કરનાર અને તેના પર અમલ કરનાર આલિમ તેમજ શીખવાડનાર બન્નેનું મહત્વ એક એવા ઈબાદત કરનાર વ્યક્તિ પર છે, જેણે પોતાને ઈબાદત માટે સમર્પિત કરી દીધો હોય, તે જાણતા કે તેના પર શું જરૂરી છે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મહત્વ એક સામાન્ય સહાબા પર છે. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટતા કરી કે ઇલ્મના કારણે પવિત્ર અલ્લાહ, તેનું અર્શ ઉઠાવનારા અને સમગ્ર આકાશના ફરિશ્તાઓ, જમીનમાં દરેક માનવીઓ અને જિન્નાતો અને દરેક પ્રાણીઓ, અહીં સુધી કે કીડી તેના દળમાં, સમુદ્રમાં રહેલી માછલીઓ, સૃષ્ટિ પરના દરેક ઢોર, જમીન અને સમુદ્રનું દરેક સર્જન, દરેક તે આલિમ માટે ભલાઈની દુઆ કરે છે, જે લોકોને દીનનું ઇલ્મ શીખવાડે છે, અને લોકોની નજાત તેમજ સફળતાની ચિંતા કરે છે.