આપ ﷺ એ જણાવ્યું કે કયામતની મોટી નિશાનીઓ માંથી એક એ પણ કે સૂર્ય પૂર્વ દિશા માંથી નિકળવાને બદલે પશ્ચિમ માંથી નીકળશે, દરેક લોકો તેને જોઇ લે શે અને દરેલ લોકો ઈમાન લઈ આવશે, તે સમયે કાફિરનું ઈમાન લાવવું કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે, ન તો કોઈ નેક અમલ ફાયદો પહોંચાડશે અને ન તો કોઈનું તૌબા કરવું ફાયદો પહોંચાડશે. ફરી નબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે કયામત અચાનક કાયમ થઈ જશે, કયામત આવી જશે અહીં સુધી કે લોકો પોતાના રોજિંદા જીવનના કાર્યોમાં વ્યસ્ત હશે; હજુ તો કપડાંની લે-વેચ કરનાર વેપારી કપડું ફેલાવી બેઠા હશે, તેણે તે કપડું વેચ્યું પણ નહીં હોય અને હજુ સમેટ્યું પણ નહીં હોય કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવશે હજુ તે તેને પી પણ નહીં શકે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એક વ્યક્તિ પોતાનો હોઝ સાફ કરી રહ્યો હશે હજુ તેણે તેમાં પાણી ભર્યું જ હશે કે અચાનક કયામત કાયમ થઈ જશે, એવી જ રીતે ખાવા માટે માનવીએ એક લુકમો પોતાના મોઢા તરફ ઉઠાવ્યો હશે પરંતુ તે લુકમો ખાઈ નહીં શકે, અને અચાનક કયામત કાયમ થઈ જશે.