ઉષ્માન અશ્ શહ્હામે અને ફરકદ અસ્ સબખીએ મહાન સહાબી અબુ બકરહના દીકરાને મુસ્લિમને સવાલ કર્યો: શું તમે તમારા પિતા દ્વારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ફિતના અને કતલ વિશે કોઈ હદીષ સાંભળી છે, જે મુસલમાન દરમિયાન થશે? તેમણે કહ્યું: હા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મારા મૃત્યુ પછી એવા ફિતના ઉભા થશે, ચાલવાવાળો વ્યક્તિ કરતા, ગાફેલ બેઠેલો વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ હશે, જેના કારણે ન તો તે તેમાં ભાગ લેશે અને ન તો તે તકરાર કરશે, ચાલવાવાળો વ્યક્તિ દોડનાર વ્યક્તિ કરતા વધારે શ્રેષ્ઠ હશે, તે તેને શોધે અને તેમાં ભાગ લે છે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માર્ગદર્શન આપ્યું કે જ્યારે તે ફિતનાઓ આવી જાય અને ઉતરે અથવા તે સમય આવી જાય તો તે એક ઠોસ ઠેકાણાં પર જતો રહે; જેની પાસે ઊંટ હોય તો તે પોતાના ઊંટની પાછળ ચાલે, જેની પાસે બકરીઓ હોય તો તે તેમની પાછળ ચાલે, અને જેની પાસે કોઈ ખેતી લાયક જમીન હોય તો તે પોતાની જમીન પર જતો રહે. એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! તમે તેના વિશે શું આદેશ આપો છો, જેની પાસે આ ત્રણેય વસ્તુઓ માંથી એક પણ વસ્તુ ન હોય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: તે પોતાના હથિયાર લે તેને પથ્થર પર ઘસી ઘસીને ધારદાર કરે અને તે પોતે ભાગે અને પોતાને બચાવી લે અને જો તે પોતાના બાળકને બચાવી શકતો હોય તો તેમને પણ બચાવી લે. પછી આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત સાક્ષી આપી કે શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? શું મેં દીનની વાતો પહોંચાડી દીધી? તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! તમારો શું આદેશ છે કે જો કોઈ મને મજબૂર કરી ખેંચીને લઈ જાય અને મને સફમાં ઉભો કરી દેવામાં આવે અથવા તેમના એક જૂથ સાથે, અને કોઈક વ્યક્તિ તલવાર વડે મારું કતલ કરી દે, અથવા કોઈ તીર આવીને મને વાગી જાય અને હું મૃત્યુ પામું તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તે પોતાના ગુનાહ અને જેનું કતલ કર્યું તે બન્નેના ગુનાહ તેના પર જ હશે, અને તે જહન્નમી લોકો માંથી બની જશે