આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે બે મુસલમાન એકબીજા વિરુદ્ધ સામસામે તલવાર ટાંકી ઉભા થઇ જાય, તેમાંથી બન્નેની નિયત એકબીજાને કતલ કરવાની હોય છે, તો કતલ કરનાર તો કતલ કરવાના કારણે જહન્નમમાં જશે, પરંતુ અલ્લાહના નબી ﷺ દ્વારા વર્ણવેલ વાત સહાબાઓની સમજમાં ન આવી કે જેની હત્યા થઈ છે તે પણ જહન્નમમાં જશે, આ કેવી રીતે થઈ શકે છે, જેથી તેનો જવાબ આપતા નબી ﷺ એ જણાવ્યું કે તેને પણ જહન્નમમાં એટલા માટે જવું પડશે કે તે પણ સામે વાળાની હત્યા કરવાની ઈચ્છા ધરાવતો હતો, તે અલગ વાત છે કે તે પોતાના ઈરાદામાં સફળ ન થઈ શક્યો, અને સામે વાળા વ્યક્તિએ તેને મારી નાખ્યો.