અમ્માર બિન્ યાસર રઝી અલ્લાહુ અન્હુ મસ્જિદમાં આવ્યા અને નફિલ નમાઝ પઢી, તેમણે ટૂંકી નમાઝ પઢી, જયારે તેઓ મસ્જિદ માંથી બહાર નીકળ્યા તો અબ્દુલ્લાહ ઇબ્ને ગનમહ તેમની પાછળ આવ્યા અને કહ્યું: હે અબૂ બકઝાન! મેં જોયું કે તમે ખૂબ જ ટૂંકી નમાઝ પઢી! અમ્માર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું તમે જોયું કે મેં તેના અરકાન, જરૂરી કાર્યો અથવા શરતોમાં કોઈ કમી કરી હોય? તેમણે કહ્યું: ના, તો અમ્માર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શૈતાનના વ્યસ્ત કરવાના કારણે મેં તેને ટૂંકી કરી. મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: ખરેખર બંદો નમાઝ પઢે છે, તો તેના માટે તેનો દસમો, અથવા નવમો, અથવા આઠમો અથવા સાતમો અથવા છઠો અથવા પાંચમો અથવા ચોથો અથવા ત્રીજો અથવા અડધા ભાગનો સવાબ લખવામાં આવે છે.