આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા પોતાના કેટલાક બંદાઓ સાથે મોહબ્બત કરે છે, તેમાંથી એક મુત્તકી (પરહેજગાર): તેને કહે છે જે અલ્લાહના આદેશોને માનવવાળો અને તેણે રોકેલા કાર્યોથી બચવા વાળો હોય. બેનિયાઝ (જે દિલનો ધની હોય): જેણે લોકો તરફથી પોતાને બેનિયાઝ કરી લીધો હોય અને ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરતો હોય, કોઈની તરફ ધ્યાન ધરતો ન હોય. એવી જ રીતે જે ગુમનામ રહેવા ઇચ્છતો હોય: આજીજ, પોતાના પાલનહાર માટે ઈબાદત કરનાર, તેને ફાયદો પહોંચાડનાર વસ્તુઓમાં વ્યસ્ત હોય, અને તે એમાં રસ નથી ધરાવતો કે કોઈ તેની પ્રસંશા કરે અથવા તેને નામચીન કરે.