નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયામાં મારી મતે સૌથી પ્રિય અને મારાથી સૌથી નજીક બેસનાર કયામતના દિવસે તે હશે, જેના અખલાક સારા હશે, અને મારી નજીક દુનિયામાં સૌથી અપ્રિય વ્યક્તિ અને મારાથી ખૂબ દૂર તે વ્યક્તિ હશે, જેના અખલાક સૌથી વધારે ખરાબ હશે; (અષરષારુન) વાતોડીયો તેની વાતમાં સચ્ચાઈ પણ ન હોય, (વલ્ મુતશદ્દીકુન) તે લોકો જેઓ પોતાનો શબ્દોનો ખ્યાલ કર્યા વગર જ આમતેમ બકી કાઢતો હોય છે, તેમજ વાતોને સ્પષ્ટતા અને મહાનતા દેખાડવી, (વલ્ મુતફૈહિકૂન) સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! અષરશારુન, વલ્ મુતશદ્દીકુનને સમજી ગયા પરંતુ મુતફયહીકૂન એટલે શું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તે ઘમંડી લોકો છે, જેઓ મોટી મોટી વાતો કરે છે અને જો લોકો તેમની સામે મોઢું ખોલે તો તેઓ તેમનો મજાક ઉડાવતા હોય છે.