આયશા રઝી અલ્લાહુ અન્હાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કરવામાં આવ્યો, તેમણે કહ્યું: તેમના કાર્યો અને વાતો અશ્લીલ અને ખરાબ ન હતી, ન તો તેઓ ખરાબ વાત અથવા કાર્યોમાં સાથ આપતા હતા ન તો બજારમાં જોર જોરથી રાડો પાડતા અને ન તો બુરાઈનો બદલો બુરાઈ વડે લેતા, પરંતુ બુરાઈનો બદલો સારી રીતે લેતા, આંતરિક રીતે માફ કરી દેતા અને જાહેરમાં મોઢું ફેરવી લેતા.