અબૂ અબ્દુલ્લાહ અલ્ જદલી રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કર્યો, તો તેમણે જવાબ આપ્યો: ન તો આપ અપશબ્દો બોલતા હતા ન તો આપ ગંદી વાત કહેતા અને ન તો આપ કોઈ ખરાબ કામમાં પડતા, બજારમાં ન તો રાડો પાડી વાત કરતા હતા અને ન તો આપ બુરાઈનો બદલો બુરાઈથી આપતા હતા પરંતુ આપ માફી અને દરગુજરથી કામ લેતા હતા. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આયશા રઝી અલ્લાહુ અન્હાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખ્લાક વિશે સવાલ કરવામાં આવ્યો, તેમણે કહ્યું: તેમના કાર્યો અને વાતો અશ્લીલ અને ખરાબ ન હતી, ન તો તેઓ ખરાબ વાત અથવા કાર્યોમાં સાથ આપતા હતા ન તો બજારમાં જોર જોરથી રાડો પાડતા અને ન તો બુરાઈનો બદલો બુરાઈ વડે લેતા, પરંતુ બુરાઈનો બદલો સારી રીતે લેતા, આંતરિક રીતે માફ કરી દેતા અને જાહેરમાં મોઢું ફેરવી લેતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉચ્ચ અખ્લાક અને ખરાબ અખ્લાકથી દૂરીનું વર્ણન.
  • સારા અખ્લાક અપનાવવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખરાબ અખ્લાકથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • ખરાબ વાતો તેમજ અશ્લિલ વાક્યો બોલાવાની સખત નિંદા કરવામાં આવી છે.
  • અવાજ ઊંચો કરી રાડો પાડવી પણ નિંદનીય કાર્ય માંથી છે.
  • માફ કરી અને દરગુજર કરી બુરાઈનો બદલો આપવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.