આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે તમારા માંથી સંપૂર્ણ ઈમાન તે વ્યક્તિનું છે, જેનું ચરિત્ર સૌથી ઉત્તમ હોય, અને સારા અખ્લાક એ કે લોકો સાથે હસતા મોઢે મળવું, નેકીનો આદેશ આપવો, સારી વાત કરવી અને લોકોને તકલીફ આપવાથી બચવું. આ હદીષમાં નબી ﷺ એ બીજી વાત એ જણાવી કે તમારા માંથી સૌથી ઉત્તમ તે વ્યક્તિ છે, જે વ્યક્તિ સ્ત્રીઓ સાથે ઉત્તમ વ્યવહાર કરતો હોય, પોતાની પત્ની, દીકરીઓ, બહેનો અને અન્ય સંબંધી સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર કરતો હોય.