અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ નેકીના કામો કરવા પર પ્રોત્સાહન આપ્વાની સાથે સાથે તે વાત પર પ્રોત્સાહન આપ્યું છે કે નેકીના કોઈ પણ નાનામાં નાના કામને પણ તુચ્છ ન સમજવામાં આવે, તેનું એક ઉદાહરણ એ છે કે મુલાકાત કરતી વખતે હસતાં મોઢે મળવામાં આવે, અર્થાત્ દરેલ મુસલમાનો એ આ વાત પર ધ્યાન આપવું જોઈએ; કારણકે તેના દ્વારા મોહબ્બત અને લગાવ પેદા થાય છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • મોમિનો સાથે મોહબ્બત કરવાની મહત્ત્વતા અને જ્યારે મુલાકાત કરે તો હસતાં મોઢે મુલાકાત કરે.
  • ઇસ્લામની શરીઅતની સપૂર્ણતા, અને તેમાં એવી દરેક વાતોનો સમાવેશ થાય છે, જેનાથી એક નેક મુસ્લિમ સમાજની રચના અને અલ્લાહની તૌહીદના કલમા પર લોકોને એકઠા કરવામાં આવે છે.
  • નેકીના કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા, ભલેને તે નેકી નાની હોય.
  • મુસલમાનમાં ખુશીનો માહોલ ઉતપન્ન કરવુ મુસ્તહબ છે, કારણકે તેમની વચ્ચે મોહબ્બત પેદા થાય છે.