અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માઇઝ્ બિન માલિક અસ્લમીને વ્યભિચારનિ સજા રજમ (સંગસાર) આપ્યા પછી ઊભા થયા અને લોકોને સંબોધિત કરી કહ્યું: આ પ્રકારની ગંદકીથી બચો, જે ગુનાહોમાં સૌથી ખરાબ ગુનોહ છે, જેનાથી અલ્લાહએ રોક્યા છે, બસ જે વ્યક્તિ આ કુકર્મમાં સપડાઈ જાય, તો તેના પર બે બાબતો લાગું પડે છે: પહેલી બાબત: તે પોતાના ગુનાહને ત્યાં સુધી છુપાવે, જ્યાં સુધી અલ્લાહએ છુપાવ્યો છે અને અન્યને તેના વિષે જાણ ન કરે. બીજી બાબત: તે અલ્લાહ પાસે તૌબા કરવામાં ઉતાવળ કરે, અને ગુનાહ પર અડેલો ન રહે, અને જે વ્યક્તિ આ પ્રમાણેની અવજ્ઞા કરતો દેખાશે, અમે તેના પર અલ્લાહની કિતાબ પ્રમાણે સજા લાગું કરીશું.