આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉભા ઉભા પાંચ વાતો પર આધારિત પોતાના સહાબાને ખુતબો આપ્યો અને તે પાંચ વાતો નીચે મુજબ છે: પહેલું: ખરેખર સર્વશ્રેષ્ઠ અલ્લાહ સૂતો નથી. બીજું: તેને ઊંઘની પણ જરૂર નથી, તેના હમેંશા બાકી અને જીવિત રહેવાની ગુણના કારણે. ત્રીજું: ઉચ્ચ અલ્લાહ પોતાના બંદાઓના કાર્યોના વજન પ્રમાણે અને પૃથ્વી પર ઉતરતી તેમની રોજીના વજન પ્રમાણે ત્રાજવાને નીચા અને ઉંચા કરે છે, તેથી જે રોજી દરેક પ્રાણીનો હિસ્સો અને ભાગ છે, તેને સર્વોચ્ચ અલ્લાહ નીચો કરે છે અને તેને દુર્લભ બનાવે છે, અને તેને ઉંચો કરે છે અને તેને વિપુલ બનાવે છે. ચોથું: રાતના સમયે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતા દિવસ પહેલા તેમજ દિવસે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતી રાત પહેલા અલ્લાહ સમક્ષ રજૂ કરી દેવામાં આવે છે, તેથી રક્ષક ફરિશ્તાઓ દિવસની શરૂઆતમાં રાત્રિના કાર્યો સાથે ચઢે છે, અને રાત્રિની શરૂઆતમાં દિવસના કાર્યો સાથે ચઢે છે. પાંચમું: તેનો પડદો -જે ઉચ્ચ છે-, તે છે, જે તેને સ્પષ્ટ થવાથી રોકે છે, તે પ્રકાશ અથવા અગ્નિ છે, જે તેને સ્પષ્ટ કરી દેવામાં આવે, તો તેના ચહેરાની મહિમા તેના સર્જનની દરેક વસ્તુને ભષ્મ કરી દેશે, જ્યાં સુધી તેની નજર જશે, ખરેખર તેના ચહેરાની મહિમા તેનો પ્રકાશ તેની મહાનતા ખુબ જ વૈભવ છે. તકદીર: જો તે વર્ણવેલ પડદાને હટાવી દે, અને પોતાની એક ઝલક પોતાની સૃષ્ટિ સમક્ષ પ્રગટ કરે, તો તેના ચહેરાનું તેજ પ્રકાશ તેની સૃષ્ટિમાં જ્યાં પણ પહોંચે, ત્યાં બધું બાળી નાખશે, અને તે સંપૂર્ણ સર્જન આવી જશે; કારણકે તેની સીમા સંપૂર્ણ સૃષ્ટિને સમાવે છે.