ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કર્યા કરતા અમારું રાખ બની જવું અથવા બળીને કોલ્સો બની જવું સારું રહેશે, આપ ﷺએ કહ્યું: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રારામાં રિવાયત કરી છે
explain-icon

સમજુતી

એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને કહે છે: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કરવું ઘણી મોટી બાબત છે, એ વાત વર્ણન કરવા કરતા કોલસો બની જવું વધુ સારું રહેશે, અલ્લાહના રસૂલ ﷺ એ બે વખત અલ્લાહ તઆલાની મહાનતા વર્ણન કરી અને અલ્લાહ તઆલાની પ્રશંસા કરી કે તેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપ્યું.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • એ વાત જાણવાની મળી કે શૈતાન મોમીનો માટે વસ્વસાના સ્વરૂપમાં છુપાયેલો રહે છે; જેથી તે એક મોમિનને ઈમાનથી કુફ્ર તરફ ફેરવી શકે.
  • શૈતાન માટે ઇમાનવાળાઓની સાથે નબળાઈનું વર્ણન કારણકે તેને ફક્ત વસ્વસાનો એક રસ્તો આપવામાં આવ્યો છે.
  • મોમિન માટે જરૂરી છે કે તે શૈતાનના દરેક વસ્વસાથી મોઢું ફેરવી લે અને તે તરફ ધ્યાન ન આપે.
  • આશ્ચર્યજનક વાત પર અથવા કોઈ સારી વાત પર અલ્લાહની મહાનતાનું વર્ણન કરી શકાય છે, અથવા આ પ્રમાણેની કોઈ વસ્તુ હોય.
  • એક મુસલમાનને કોઈ પણ આલિમને દરેક મુશ્કેલ સવાલ કરવાની છૂટ આપવામાં આવી છે.