આ હદીષમાં નબી ﷺ આપણને જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ તૌહીદનો કલિમો પઢે અને તેના અર્થને સંપૂર્ણ સમજે અને તેના લક્ષણોને પુરા પાડે, અને મોહમ્મદ ﷺ પયગંબર હોવાની ગવાહી આપે, અને તેમને અલ્લાહના બંદા હોવાનો સ્વીકાર કરે, એવી જ રીતે ઈસા અલૈહિસ્ સલામ બાબતે તેજ ગવાહી આપે કે તેઓ અલ્લાહના બંદા અને પયગંબર છે, અને એ કે અલ્લાહએ તેમને "કુન" શબ્દ વડે પેદા કર્યા, અને એ કે નિઃશંક તેઓ એક પ્રાણ માંથી જ છે જેનું અલ્લાહએ સર્જન કર્યું, અને તેમની માતા સંપૂર્ણ તે વાતોથી મુક્ત છે, જે યહૂદી લોકો કહે છે, અને જન્નત પર અને જહન્નમ પર ઈમાન લાવે, તેમના અસ્તિત્વ પર ભરોસો કરતા અને એ કે તે બન્ને માંથી એક અલ્લાહની નેઅમત છે અને એક તેનો અઝાબ છે, અને જો તે ઉપરોક્ત વાતો પર મૃત્યુ પામ્યો તો તેનું ઠેકાણું જન્નત હશે, ભલેને તેણે અમલ કરવામાં કચાસ રાખી હોય, અને તેણે ગુનાહ પણ કર્યા હોય.