ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે, મારાથી ખુશૂઅ ગાયબ કરી દે છે, અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, શંકામાં નાખી દે છે, તો નબી ﷺ એ કહ્યું: તે શૈતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની હિફાજતમાં આવી જા અને અલ્લાહથી પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત સહેજ થું થું થુકી દે, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.