અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની બન્ને (સુન્નત) રકઅતોમાં સૂરે કાફિરૂન અને સૂરે ઇખલાસ પઢતા હતા. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની સુન્નતમાં સૂરે ફાતિહા પછી પહેલી રકઅતમાં સૂરે કાફિરૂના અને બીજી રકઅતમાં સૂરે ઇખલાસ પઢવાનું પસંદ કરતાં હતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ફજરની સુન્નતમાં સૂરે ફાતિહા પછી આ બંને સૂરતો પઢવી જાઈઝ છે.
  • બન્ને સૂરતો જેને સૂરે ઇખલાસ કહેવામાં આવે છે; કારણકે સૂરે કાફિરૂનમાં તે દરેક જેની અલ્લાહને છોડીને અન્યની ઈબાદત કરવામાં તેને બાતેલ કહ્યું છે, અને તેઓ અલ્લાહના બંદા પણ નથી, અને તેમનું શિર્ક તેમને નષ્ટ કરી દેશે, અને ખરેખર પવિત્ર અલ્લાહ જ ઈબાદતને લાયક છે, એટલા માટે સૂરે ઇખલાસમાં અલ્લાહનું એક હોવું, તેના માટે નિખાલસતા અપનાવવી અને તેના ગુણો વર્ણન કરવામાં આવ્યા છે.