ઉમ્મુલ્ મુઅમિનીન્ આયશા રઝી અલ્લાહુ અન્હા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પ્રમાણે નમાઝ પઢતા તેની પદ્ધતિ વર્ણન કરી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તકબીરે તહરીમાંથી નમાઝ શરૂ કરતાં અને તે «અલ્લાહુ અકબર» કહેતા, અને સૂરે ફાતિહાની તિલાવતથી શરૂ કરતાં: «"અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીન" (દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે)...» કિયામ કર્યા પછી આપ રુકૂઅ કરતા, રુકૂઅમાં પોતાનું માથું ન તો વધારે ઝુકાવી રાખતા હતા અને ન તો વધારે ઉપર રાખતા, પરંતુ તદ્દન સીધી પીઠ રાખતા હતા, જ્યારે રુકૂઅ કરી માથું ઉઠાવતા, તો સિજદામાં જતા પહેલા સીધા ઉભા રહેતા, જ્યારે પહેલો સિજદો કરી માથું ઉઠાવતા, તો જ્યાં સુધી તદ્દન સીધા બેસી ન જતા બીજો સિજદો ન કરતા. અને દરેક બે નમાઝ પછી તશહહુદમાં બેસતા અને કહેતા: «"અત્ તહિય્ચાતુ લિલ્લાહિ વસ્સલવાતિ વત્ તોય્યિબાતિ" (મારી) દરેક પ્રકારના વખાણ, દરેક દુઆઓ અને દરેક સારા કાર્યો અને વાતો ફક્ત અલ્લાહ માટે જ છે)...» અને જ્યારે પણ બે સિજદા વચ્ચે અથવા તશહ્હુદ માટે બેસતા, તો ડાબો પગ ફેલાવી તેના પર બેસી જતા અને જમણો પગ ઉભો રાખતા હતા. શૈતાનની બેઠકે બેસવાથી રોક્યા છે, અને તે એ કે બન્ને પગને જમીન પર ફેલાવી દેવામાં આવે, એડીઓને પણ ફેલાવી અને નિતંબને જમીન પર ચોંટાડી દેવામાં આવે, તેમજ હાથ ફેલાવીને બેસવાથી પણ રોક્યા છે, જેવી રીતે કૂતરું ફેલાવી બેસે છે, જંગલી જાનવરની માફક જ હાથ ફેલાવી બેસવાથી રોક્યા છે. નમાઝ સલામ દ્વારા પૂર્ણ કરતા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમત તેમજ બરકતો ઉતરે)», એકવાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ મોઢું ફેરવતા.