explain-icon

સમજુતી

નબી ﷺ એ આદેશ આપ્યો છે કે લોકો માટે દરેક દીન અથવા દુનિયાના કાર્યોમાં સરળતા, આસાનીનો માર્ગ અપનાવો અને સખતીનો માર્ગ ન અપનાવો, અને આ આદેશ અલ્લાહએ હલાલ કરેલી વસ્તુઓમાં અને શરીઅત હદમાં હોવો જોઈએ. નબી ﷺ તાકીદ કરી રહ્યા છે કે લોકોને ખુશખબર આપનાર બનો અને નફરત ફેલાવનાર ન બનો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • એક મોમિન માટે જરૂરી છે કે તે લોકોને અલ્લાહ સાથે મોહબ્બત કરનાર બનાવે, અને તેમને ભલાઈના કામો તરફ પ્રોત્સાહિત કરે.
  • દાઈ (ઇસ્લામનો પ્રચાર કરનાર) માટે જરૂરી છે કે તે ઇસ્લામનો પ્રચાર કરવામાં હિકમતનો માર્ગ અપનાવે.
  • ખુશખબર ફેલાવવાથી ઇસ્લામનો પ્રચાર કરનારના દિલમાં શાંતિ અને રાહત તેમજ જે લોકોને તે દઅવત આપી રહ્યો છે, તેમનામાં પણ ખુશી અને શાંતિ ઉતપન્ન થાય છે.
  • પ્રચારક દ્વારા કરવામાં આવતી સખતી અથવા તેની વાતોની કઠિનતા લોકોમાં નફરત, શંકા અને પાછા ફરી જવા જેવી બાબતો ઉત્પન્ન થાય છે.
  • બંદા માટે અલ્લાહની વિશાળ રહેમત, જેણે તેમના માટે ભાઈચારા પર આધારિત દીન અને સરળ શરીઅત બનાવી.
  • સહુલતનો આદેશ પણ તે જ છે, જે શરીઅત લઈને આવી હોય.