નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે તેમની માતા ઉમરહ બિન્તે રવાહા તેમના પિતાને પોતાના માલ માંથી પોતાના બાળકને કંઈક હદીયો આપવાની માંગ કરી, મુંઝવણમાં તેમણે એક વર્ષ સુધી સમય લગાવ્યો, ત્યારબાદ તેમના દીકરા નૌમાનને બોલાવી તેને હદીયો આપ્યો, તો તેણીએ કહ્યું: જ્યાં સુધી તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાક્ષી ન બનાવી લો હું આ બાબતે ખુશ નહીં થાઉં, મારા પિતાએ મારો હાથ પકડ્યો અને હું તે સમયે ખૂબ નાનો હતો, મારા પિતા મને લઈને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! આની માતા ઉમરહ બિન્તે રવાહાની ઈચ્છા છે કે હું મારા દીકરાને કંઈક હદીયો આપું અને તેના પર તમને સાક્ષી બનાવું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે બશીર! શું તમારા બીજા બાળકો છે? બશીરે કહ્યું: હા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું તમે આ પ્રમાણે દરેક દીકરાઓને હદીયો આપ્યો? બશીરે કહ્યું: ના. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો હું સાક્ષી નહીં બની શકું, કારણ કે હું અન્યાય અને અત્યાચાર પર ગવાહ નથી બનતો. મુસ્લિમની રિવાયતમાં તેમને ઠપકો આપતા કહ્યું કે જાઓ બીજા કોઈને ગવાહ બનાવી લો.