આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ ફજરની નમાઝ પઢી લે તે અલ્લાહની શરણમાં અને તેની મદદ તેમજ તેની નજર હેઠળ આવી જાય છે, તે તેની રક્ષા કરે છે અને તેની મદદ પણ કરે છે. પછી આપ ﷺ એ તે વચનને તોડવા અને તેને બાતેલ કરવાથી સચેત કર્યા છે, અલ્લાહના આ વચનને ભંગ કારવનું એક કારણ એ કે ફજરની નમાઝ છોડી દેવી, બીજું કારણ એ કે ફજરની નમાઝ પઢનારા લોકો સાથે છેડછાડ કરવામાં આવે અથવા તેમના પર અત્યાચાર કરવામાં આવે, જ વ્યક્તિ એ પણ આવું કર્યું તેણે અલ્લાહના વચનને ભંગ કર્યું, અને તે અલ્લાહ એ આપેલ ચેતવણીનો હકદાર બનશે કે અલ્લાહ તેને પપોટના હકમાં આળસ કરવાના બદલે સવાલ કરશે, અને તે સામાન્ય વાત છે કે જેને અલ્લાહ સવાલ કરી લે મતલબ તેની પકડ કરી લીધી અને તેને ઉંધા મોઢે જહન્નમમાં દાખલ કરી દે શે.