આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કોઈ પણ મુસલમાન જ્યારે પણ કોઈ ફર્ઝ નમાઝનો સમય થઈ જાય છે, તો તે સારી રીતે વઝૂ કરે છે અને તેને પૂર્ણ કરે છે, ફરી તે નમાઝમાં ખુશૂઅ એવી રીતે અપનાવે છે કે તેનું દિલ અને તેના શરીરના દરેક અંગો અલ્લાહને સમર્પિત છે, અને તે નમાઝના દરેક કાર્યો જેમકે રુકૂઅ, સિજદો વગેરે પૂરા કરે છે, તો તે નમાઝ તેના માટે પાછલા નાના ગુનાહો માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે, જો તે મોટા મોટા ગુનાહો માંથી કોઈ ગુનોહ ન કરે આ મહાનતા અને મહત્ત્વતા દરેક નમાઝ સાથે લાગુ પડે છે.