ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે, કે આપ ﷺ પર વહી ઉતરી અને આપ ﷺ ને પયગંબરી આપવામાં આવી ત્યારે આપ ﷺ ની ઉંમર ચાળીસ વર્ષની હતી, વહી આવ્યા પછી તેર વર્ષ સુધી આપ ﷺ મક્કહમાં રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપને હિજરત કરવાનો આદેશ આપ્યો, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, અને ત્યારબાદ આપ ﷺ નું મૃત્યુ થયું, જે સમયે આપની ઉંમર ત્રેસઠ વર્ષની હતી.