રાફેઅ બિન ખદીજ રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે તિહામામાં ઝુલ્ હુલૈફા નામની જગ્યાએ હતા, તો લોકોને સખત ભૂખ લાગી, અને તેમને મુશરીકો સાથે યુદ્ધમાં ગનીમત (યુદ્ધમાં જીતેલો માલ)માં ઊંટ અને બકરીઓ મળી હતી, અને તેઓએ ગનીમતના માલની વહેંચણી પહેલા ઉતાવળ કરી, અને જાનવર ઝબેહ કરી દીધા, અને હાડકાઓ ચૂલા પર ચડાવી દીધા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપાસે પરવાનગી લીધા વિના, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૌથી પાછળ હતા, તો જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જાણ થઈ, તો તે ડેગોને ઊંધી કરવાનો આદેશ આપ્યો, અને તેના શેરવાને બહાર ફેંકી દેવામાં આવ્યો, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની વચ્ચે ગનીમતનો માલ વહેંચવાનું શરૂ કર્યું, તો દસ બકરીઓને એક ઊંટ બરાબર રાખી, અચાનક ગનીમતના માલ માંથી એક ઊંટ ભાગી ગયું, તો લોકો તેને પકડવા માટે દોડ્યા, અહીં સુધી કે તેઓ થાકી ગયા, અને થોડાક જ ઘોડા હતા, તો તેમના માંથી એક વ્યક્તિએ તે ઊંટને તીર માર્યું તો અલ્લાહએ તેને રોકી દીધું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે અને તમે તેને પકડવામાં અસક્ષમ થઈ જાઓ તો તેની સાથે આમ જ કરો. તો રાફેએ કહ્યું: અમને આશા છે કે કદાચ કાલે અમારો સામનો દુશ્મનો સાથે થઈ જાય, અને ભય છે કે અમારા હથિયારોના કિનારા ઝબેહ કરેલ જાનવરને નુકસાન પહોંચાડી શકે છે, જે અમે વાપર્યે છીએ, અમને ઝબેહ કરવાની સખત જરૂરત છે, અને અમારી પાસે છરીઓ પણ નથી, તો શું અમે આ જાનવરને વાસ વડે ઝબેહ કરી દઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે વસ્તુ પણ લોહી વહાહી શકે (તેના દ્વારા ઝબેહ કરો), અને ઝબેહ કરતી વખતે જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તેનું માસ ખાઓ, પરંતુ તે દાંત અને નખ ન હોવા જોઈએ, અને હું તેનું કારણ પણ જણાવું કે દાંત તે એક હાડકું છે, અને નખ હબશીઓની છરીઓ છે.