આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીને પોતે જ પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરવાથી રોક્યા છે, અને જો તે શાદી કરી લે, તો તેની શાદી અમાન્ય ગણાશે, અને આ જ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત કહી, જેવુ કે કહી જ ન હોય. બસ જે વ્યક્તિ પરવાનગી વગર શાદી કરનારી સ્ત્રી સાથે સમાગમ કરે તો તેણે સંપૂર્ણ મહેર આપવી પડશે, તેણી સાથે સમાગમ કરવાના કારણે. ફરી જો વાલીઓ શાદીના બંધન વિષે મતભેદ કરે - અને તેમના દરજ્જા બરાબર હોય -, તે વચન તેના માટે છે, જેણે પહેલા વચન કર્યું હોય, જો વાલી શાદીથી ઇન્કાર કરતા હોય, તો તેમનો કોઈ વાલી નથી, તો આ સ્થિતિમાં શાસક અથવા કાઝી તેમના વાલી બનશે, નહીં તો વાલીની હાજરીમાં કોઈની જવાબદારી નહીં હોય.