ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે સ્ત્રી પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરે તો તેની શાદી અમાન્ય છે, - નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્રણ વખત કહી - (ફરી કહ્યું) જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે સમાગમ કરે, તો તેના બદલામાં તે મહેર આપે, જો વાલીઓ બંનેને અલગ કરી દે, તો શાસક તેનો વાલી છે, જેનો કોઈ વાલી ન હોય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીને પોતે જ પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરવાથી રોક્યા છે, અને જો તે શાદી કરી લે, તો તેની શાદી અમાન્ય ગણાશે, અને આ જ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત કહી, જેવુ કે કહી જ ન હોય. બસ જે વ્યક્તિ પરવાનગી વગર શાદી કરનારી સ્ત્રી સાથે સમાગમ કરે તો તેણે સંપૂર્ણ મહેર આપવી પડશે, તેણી સાથે સમાગમ કરવાના કારણે. ફરી જો વાલીઓ શાદીના બંધન વિષે મતભેદ કરે - અને તેમના દરજ્જા બરાબર હોય -, તે વચન તેના માટે છે, જેણે પહેલા વચન કર્યું હોય, જો વાલી શાદીથી ઇન્કાર કરતા હોય, તો તેમનો કોઈ વાલી નથી, તો આ સ્થિતિમાં શાસક અથવા કાઝી તેમના વાલી બનશે, નહીં તો વાલીની હાજરીમાં કોઈની જવાબદારી નહીં હોય.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં યોગ્ય શાદી માટે વાલીની શરત લગાવવામાં આવી છે, અને ઈબ્ને મુનઝિર દ્વારા વર્ણન કરવામાં આવ્યું કે તે કોઈ સહાબા વિષે નથી જાણતા કે આ બાબતે તેમણે મતભેદ કર્યો હોય.
  • શાદી અમાન્ય થઈ જવા પર પુરુષના સમાગમ કરવાના બદલામાં, તે સ્ત્રીને મહેર આવશે.
  • સ્ત્રીઓ માંથી શાસક તેમનો વાલી છે, જેનો કોઈ વાલી ન હોય, ભલેને વાસ્તવમાં તેનો કોઈ વાલી ન હોય અથવા તે સ્થિતિમાં જ્યારે કોઈ વાલી સ્ત્રીને શાદી કરવાથી રોકતો હોય.
  • શાસક તેનો વાલી ગણવામાં આવશે જેનો કોઈ વાલી ન હોય, વાલી ન હોવાની અથવા કમજોર હોવાની સ્થિતિમાં, અને તે કાઝીની જગ્યા પર હશે કારણકે તે આ દરેક બાબતોનો નાયબ છે.
  • સ્ત્રીની શાદી માટે જે વાલીની શરત લગાવવામાં આવી છે, તેનો અર્થ એ નથી કે તેનો કોઈ અધિકાર નથી, પરંતુ તેનો પણ અધિકાર છે, અને તેના વાલી માટે જાઈઝ નથી કે તે તેની પરવાનગી વગર તેની શાદી કરી દે.
  • યોગ્ય શાદીની શરતો: પહેલી શરત: પતિ પત્ની બન્ને માંથી દરેકની ઓળખાણ, નામ અને ગુણ વગેરે હોવું, બીજી શરત: દરેકની એક બીજા પ્રત્ય પ્રસન્નતા, ત્રીજી શરત: સ્ત્રીની શાદી તેનો વાલી કરે, ચોથી શરત: શાદીની સાક્ષી આપનાર ઉપસ્થિત હોય.
  • શાદી કરાવનાર વાલીની શરતો: પહેલી શરત: તે બુદ્ધિશાળી હોય, બીજી શરત: તે પુરુષ હોય, ત્રીજી શરત: તે પુખ્તવયનો હોય, તેની ઉંમર પંદર વર્ષની થઈ ગઈ હોય, અથવા તેને સ્વપ્નદોષ થતું હોય, ચોથી શરત: મુસલમાન હોય, કાફિર કોઈ મુસલમાન પુરુષ કે સ્ત્રીનો વાલી નથી બની શકતો, એવી જ રીતે ન તો કોઈ મુસલમાન કોઈ કાફિર પુરુષ કે સ્ત્રીનો વાલી બની શકે છે, પાંચમી શરત: તે ન્યાયી હોય અને ગુનેગાર ન હોય, અને તેના માટે પૂરતું છે કે તે શાદી કરવાના હેતુઓ વિષે જાણતો હોય, છઠ્ઠી શરત: વાલી પુખ્તવયનો હોવો જોઈએ, મૂર્ખ ન હોવો જોઈએ, અને તે શાદીની હિકમતો અને બરાબરી વિષે જાણતો હોય.
  • ફુકહાની નજીક સ્ત્રી માટે નજીકના સંબંધીનું વાલી હોવું જરૂરી છે, કોઈ બહારનો વ્યક્તિ વાલી નથી બની શકતો, જો કોઈ ન હોય તો, અથવા તેમાં વાલી બનવાની શરતો ન હોય, સ્ત્રીનો વાલી તેના પિતા છે, ફરી તે તેનો વાલી બનશે, જેના વિષે તેના પિતાએ વસિયત કરી હોય, પછી તેના દાદા વાલી બનશે, કેટલા પણ ઉપર લોકો કેમ ન હોય, ફરી તેનો પુત્ર તેનો વાલી બનશે, ભલેને કેટલા નીચે સુધી પણ કેમ ન હોય, ફરી તેનો પૈતૃક ભાઈ, ફરી તેના પિતાના ભાઈના, ફરી તેના પિતાના ભાઈના બાળકો, ફરી તેના માંમાં, ફરી તેના કાકા, ફરી તેના કાકાના બાળકો, ફરી જે ખાનદાનનો સૌથી નજીકનો સંબંધી હોય, જેમકે વારસાના કારણે, અને મુસલમાન શાસક તેનો નાયબ બનશે, જેમકે કાજી આદેશોમાં તેનો નાયબ બને છે, અને શાસક તેનો વાલી છે, જેનો કોઈ વાલી ન હોય.