આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પતિને પોતાની પત્ની સાથે એટલી નફરત કરવાથી રોક્યા છે, જે જુલમ, ત્યાગ અને મોઢું ફેરવી એવા તત્વો તરફ દોરી જાય; કારણકે દરેક માનવીમાં સ્વાભાવિક રીતે ખામીઓ છે, જો તેની કોઈ આદત નાપસંદ હોય, તો બીજી આદત જરૂર પસંદ હશે, આવી સ્થિતિમાં જે આદત પસંદ હોય તેનાથી ખુશ રહે અને જે પસંદ ન હોય તેના પર સબર કરે, તેનાથી એક સારો માહોલ બનશે, અને નારાજી એટલી નહીં વધે બંનેને અલગ થવું પડે.