આપ ﷺ એ મુનાફિકનું ઉદાહરણ એક બકરી દ્વારા આપ્યું છે, જે નક્કી નથી કરી શકતી કે તેણે બકારીઓના બે ટોળાં માંથી ક્યાં ટોળાંનું અનુસરણ કરવાનું છે, ક્યારેક તે એક ટોળાં તરફ જતી હોય છે તો ક્યારેક તે બીજા ટોળાં પાસે જતી હોય છે, એવી જ રીતે મુનાફિક લોકો ઈમાન અને કુફ્ર વચ્ચે મુંઝવણમાં હોય છે, તેથી તેઓ જાહેરમાં અને બાતેનમાં ન તો મોમિનો સાથે હોય છે અને ન તો કાફિરો સાથે, પરંતુ જોવા જઈએ તો ખરેખર જાહેરમાં તો તેઓ મોમિનો સાથે હોય છે પરંતુ આંતરિક રીતે મુંઝવણમાં હોય છે, એટલા માટે ક્યારેક તેઓ આ બાજુ ફરતા હોય છે તો ક્યારેક બીજી બાજુ ફરતા હોય છે.