અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજ્ઞાનતાના કેટલાક અમલથી રોક્યા છે અને તેનાથી સંપૂર્ણ બચવાની તાકીદ કરી છે, કહ્યું:તે અમારા માંથી નથી: પહેલું: જે ગાલ પર મારે, ચહેરા પર વધારે પડતો એરિયો ગાલનો છે, એટલે ગાલનું વર્ણન કરવામાં આવ્યું, નહીં તો ચહેરાનો પણ સમાવેશ થાય છે, ચહેરા પર પણ મારવાથી રોક્યા છે. બીજું: કપડાંમાં કાણું કરી સખત રીતે તેમાંથી માથું કાઢવાની કોશિશ કરવી. ત્રીજું: અજ્ઞાનતાના સમયની અવાજો, જેવા કે હાય, હલાકત, ચીખવું વગેરે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં જે અમલો વર્ણન કરવામાં આવ્યા છે, તે કબીરહ ગુનાહ માંથી છે.
  • મુસીબત પર સબર કરવું જરૂરી છે, અલ્લાહની તકદીર પર નાખુશ થવું હરામ છે, અને જોર જોરથી રડવું, ચીસો પાડવી, ગાલ પર મારવું અને કપડાં ફાડવા વગેરે..
  • એવી બાબતોમાં અજ્ઞાનતામાં ચાલતા અમલનું અનુસરણ કરવું હરામ છે, જેના પર શરીઅતે રોક લગાવી હોય.
  • દુઃખ અને રડવામાં કોઈ વાંધો નથી, અને તે અલ્લાહના નિર્ણય પર સબર કરવાના વિરુદ્ધમાં નહીં ગણાય, જો કે આ તો એક રહમત છે, જે અલ્લાહ તઆલાએ સંબંધી પ્રત્યે લોકોના દિલોમાં રાખી છે.
  • મુસલમાન માટે જરૂરી છે કે તે અલ્લાહની ખુશી પર ખુશ થાય અને તે ખુશ ન થાય તો તેના પર સબર કરવું જરૂરી છે.
explain-icon

વધુ