નબી ﷺ એ આ શબ્દો વડે પોતાની ઉમ્મત ને સચેત કર્યા છે તે શબ્દો "તે અમારા માંથી નથી" તેમાંથી કેટલાક કાર્યો નીચે પ્રમાણે છે: પહેલું: "જે અપશુકન લે અથવા કરાવે": એવી રીતે કે સફર કરતા પહેલા અથવા વેપાર ધંધો શરૂ કરતાં પહેલાં એક પક્ષી ઉડાવવામાં આવતું, જો તે પક્ષી ઉડતા ઉડતા જમણી બાજુ જાય તો તેના દ્વારા શુભ શુકન કાઢવામાં આવતું કે તે કામ સારું હશે અને જો તે પક્ષી ડાબી બાજુ જતું તો તેનાથી રુકી જતા અને તે કામ ન કરતા, અને તેઓ આ કામ કરવાને જાઈઝ ન હતા ગણતા અને સમજતા કે જો કરવામાં આવશે તો નુકસાન ઉઠાવવું પડશે, અને આ અપશુકન તે દરેક વસ્તુ દ્વારા કરવામાં આવે છે, જે સાંભળી શકાતી હોય અથવા જોઈ શકાતી હોય, તે પક્ષીઓ દ્વારા, જાનવરો દ્વારા, લાચાર લોકો વડે, અથવા સંખ્યાઓ લખી તેમજ દિવસો નક્કી કરી અને આ પ્રમાણે ઘણી વસ્તુઓ. બીજું: "જે ભવિષ્યવાણી કરે અથવા કરાવે", જે તારાઓની દિશા જોઈ અનુમાન લગાવી ગેબના ઇલ્મનો દાવો કરતો હોય, અને જે વ્યક્તિ જ્યોતિષ પાસે અથવા ભવિષ્યવાણી કરનાર પાસે જાય અને તેની વાતોની પુષ્ટિ કરે અથવા તેણે જણાવેલ વાતો પ્રમાણે કાર્યવાહી કરે તો તેણે નબી ﷺ પર ઉતરવાવાળી શરીઅતનો ઇન્કાર કર્યો. ત્રીજું: "જે જાદુ કરશે અથવા કરાવશે", અર્થાત્ જે પોતે જાદુ કરતો હોય અથવા કોઈને જાદુ કરવા પર નક્કી કરે, અને એવી રીતે કે કોઈને ફાયદો પહોંચાડવા અથવા નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે, એવી રીતે કે દોરીમાં ગાંઠો બાંધવામાં આવે, અથવા ચિઠ્ઠીમાં કંઈક હરામ જન્નતર પઢી ફૂંકવામાં આવે.