આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને શિક્ષા આપી રહ્યા છે કે સત્કાર્યો કરો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અલ્લાહથી ડરો, અતિરેક અને આળસ કર્યા વગર, અને દરેક સત્કાર્યો સુન્નત પ્રમાણે અને અલ્લાહ માટે નિખાલસ થઈને કરો, જેથી તે અલ્લાહ પાસે સ્વીકારવામાં આવે અને રહેમતો ઉતરવાનું કારણ બને. ફરી જણાવ્યું કે તમારા માંથી કોઈ પણ અલ્લાહની કૃપા વગર પોતાના કાર્યોના બદલામાં નજાત નહીં પ્રાપ્ત કરી શકે. સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: હે અલ્લાહના પયગંબર શું તમે પણ પોતાના મહાન કાર્યોના બદલામાં છુટકારો પ્રાપ્ત નહિ કરી શકો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું પણ નહીં, જો અલ્લાહ ઇચ્છશે તો મને પોતાની કૃપા વડે ઢાંકી લે શે.