જ્યારે નબી ﷺ નમાઝ પુરી કરતા તો ત્રણ વખત અસ્તગ્ફિરુલ્લાહ (હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું), અસ્તગ્ફિરુલ્લાહ (હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું), અસ્તગ્ફિરુલ્લાહ (હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું), કહેતા. પછી પોતાના પાલનહારની મહાનતા વર્ણન કરી કહેતા: "અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ" (અર્થ: હે અલ્લાહ ! તું જ સલામતી વાળો છે, અને તારા જ તરફથી સલામતી મળે છે, તું અત્યંત બરકત વાળો છે, હે મહાન અને સન્માન વાળા) અલ્લાહ તઆલા પોતાના ગુણોમાં સંપૂર્ણ પવિત્ર છે, દરેક પ્રકારની ખામીથી પાક છે, અલ્લાહ પાસે જ દુનિયા અને આખિરતની બુરાઈઓની સુરક્ષા માંગવામાં આવશે, બંને જહાનમાં અલ્લાહની ઘણી કૃપાપ છે, તે ઘણો મહાન અને દયાળુ છે.