અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે બંદો પોતાના ઘરવાળાઓ પર નેકી અને સવાબની ઉમ્મીદ રાખી નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તે તેના માટે સદકો ગણવામાં આવે છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે વ્યક્તિ પોતાના ઘરવાળાઓ પર અર્થાત્ પોતાની પત્ની, માતા-પિતા અને બાળકો પર અલ્લાહની નિકટતા માટે તેમજ સવાબની નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તેના માટે સદકો કરવાની નેકી લખવામાં આવશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ઘરવાળાઓ પર ખર્ચ કરવાથી સવાબ અને નેકી પ્રાપ્ત થાય છે.
  • મોમિન પોતાના કાર્યોમાં અલ્લાહની પ્રસન્નતા અને તેની પાસે સવાબ તેમજ નેકીની આશા રાખે છે.
  • દરેક કામ દ્વારા, જેમાં ઘરવાળાઓ પર ખર્ચ કરવું પણ શામેલ છે, દિલની નિયત સારી રાખવી જોઈએ.