આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખર્ચ થનાર કેટલાક દીનારના પ્રકાર વર્ણન કર્યા, એક તે દીનાર, જે જિહાદ માટે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવામાં આવે છે અને એક તે દીનાર, જે એક ગુલામને ગુલામીથી આઝાદ કરવા માટે ખર્ચ કરવામાં આવે, એક તે દીનાર, જે એક લાચાર પર ખર્ચ કરવામાં આવે, અને એક તે દીનાર, જે પોતાના ઘરવાળાઓ, પત્ની અને બાળકો પર ખર્ચ કરવામાં આવે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે આ દરેકમાં સૌથી ઉત્તમ દીનાર, જે પોતામાં ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે, અને આ ખર્ચ જરૂરી ખર્ચ છે.