આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જન્નતી લોકો અને જહન્નમી લોકોના કેટલાક ગુણો વર્ણન કર્યા છે. જન્નતી લોકોમાં વધારે સંખ્યા તે લોકોની હશે: "જે કમજોર લોકો છે, જેમને કમજોર સમજવામાં આવે છે" અર્થાત્: અલ્લાહ સમક્ષ આજીજી અને વિનમ્રતા કરનાર, અહીં સુહિ કે અલ્લાહ સમક્ષ પોતાને પણ અપમાનિત ન કરી દે, અને કેટલાક લોકો તેને નબળા અને ધિક્કારપાત્ર સમજતા હોય, અને જો આ વિનમ્રતા અલ્લાહ માટે હોય અને જો તેઓ અલ્લાહ માટે કોઈ કસમ (સોગંદ) ખાઈ લે તો અલ્લાહ તેની ઇઝ્ઝત રાખશે, અને તેણે જે સોગંદ લીધા છે તેને પૂરા કરશે, અને તેની માંગ અને દુઆને પણ કબૂલ કરશે. અને જહન્નમી લોકોમાં વધારે લોકોની સંખ્યા તેમની હશે: જે «ઉગ્રવાદી» અર્થાત્ સખત ઝઘડો કરનાર અને સખતી કરનાર હોય, અથવા વિદ્રોહી, જેની પાસે કોઈ ભલાઈની આશા ન રખાય, «અહંકારી» ઘમંડ કરનાર, કૃતઘ્ની, જેનું શરીર મોટું હોય, અને તેની ચાલમાં અહંકાર હોય અને ખરાબ વ્યવહારનો હોય, «ઘમંડી» જે સત્યને ન અપનાવે અને તેને ધિક્કારી દે.