અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જન્નતમાં તમારા માંથી સૌથી નીચો દરજ્જો પ્રાપ્ત કરનાર જન્નતી વ્યક્તિની સ્થિતિ એવી હશે કે અલ્લાહ તેને કહેશે: તું તારી ઈચ્છાઓ જાહેર કર, તે પોતાની દરેક ઈચ્છાઓ જાહેર કરશે, પછી તેને કહેવામાં આવશે કે તારી દરેક ઈચ્છા પૂરી થઈ ગઈ? તે કહેશે: હા, અલ્લાહ તઆલા તેને કહેશે: તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે અને તેની સાથે તેના જેટલી બીજી ઈચ્છાઓ પણ પુરી કરવામાં આવશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જન્નતમાં છેલ્લા દરજ્જાના વ્યક્તિને કહેવામાં આવશે, તું ઈચ્છા કર, તે પોતાની ઈચ્છા જાહેર કરશે, અહીં સુધી કે તે પોતાની દરેક ઈચ્છાઓ જાહેર કરશે, એક પણ ઈચ્છા તેની બાકી નહીં રહે, તેને કહેવામાં આવશે: શુ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ? તે કહેશે: હા, તેને કહેવામાં આવશે: જેટલી તે ઈચ્છા કરી તે બધી જ પુરી કરવામાં આવશે અને તેની સાથે સાથે બીજી ઈચ્છાઓ પણ.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જન્નતમાં જન્નતી લોકોના અલગ અલગ દરજ્જાનું વર્ણન.
  • પવિત્ર અલ્લાહની ભવ્ય કૃપાનું વર્ણન.
  • જન્નતની નેઅમતો ફક્ત એક વસ્તુ સાથે જ નક્કી નથી, પરંતુ જન્નતી વ્યક્તિને તે દરેક વસ્તુ આપવામાં આવશે, જે તેની ઈચ્છા હશે અને મન હશે, જે અલ્લાહની કૃપા, દયા કરુણા અને ઉદારતા હશે.
explain-icon

વધુ