અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફજરની નમાઝ વખતે બિલાલને કહ્યું: «હે બિલાલ! મને તમારું ઇસ્લામમાં સૌથી પુણ્યશાળી કાર્ય વિષે જણાવો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સંભાળ્યો છે», બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કોઈ એવું કાર્ય કર્યું નથી, જે સૌથી પુણ્યશાળી હોય સિવાય કે હું રાત અને દિવસ દરમિયાન કોઈ પણ સમયે વઝૂ કરી નમાઝ પઢી લઉં છું, ફર્ઝ નમાઝ સિવાય. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સપનામાં જોયું કે આપ જન્નતમાં છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બિલાલ બિન્ રબાહ રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: સૌથી પુણ્યશાળી અમલ વિષે જણાવો જે તમે ઇસ્લામમાં સ્વેચ્છિક રૂપે કરો છો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સાંભળ્યો છે, જયારે તમે જન્નતમાં મારી આગળ ચાલી રહ્યા હતા. બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: સૌથી વધારે પુણ્યશાળી અમલ, જે હું કરું છું કે મેં રાત્રે અને દિવસે ક્યારે પણ વઝૂ તોડ્યું નથી અને તે વઝૂ દ્વારા મારા પાલનહાર માટે નફિલ નમાઝ પઢી, જે મારા માટે અનિવાર્ય કરવામાં આવી ન હતી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ જણાવેલા અમલ કરવાની મહત્ત્વતા, અને તે એ કે જયારે પણ તેઓ પાક થતા અને વઝૂ કરતા, તો નમાઝ પઢતા, અને તે સૌથી વધુ પુણ્યશાળી અને જન્નતમાં દાખલ થવાનો સ્ત્રોત છે.
  • દરેક વઝૂ પછી નમાઝ પઢી શકાય છે.
  • કોઈ પણ આદર્શ અને માર્ગદર્શક વ્યક્તિનું પોતાના વિદ્યાર્થીના કાર્ય વિશે પૂછવાનો અર્થ એ કે તે કાર્ય સારું હોય, તો તેના પર અડગ રહેવા પર પ્રોત્સાહન આપવું અને જો યોગ્ય ન હોય, તો ચેતવણી આપવી.
  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બિલાલ રઝી અલ્લાહુ અન્હુ માટે સાક્ષી કે તે જન્નતી લોકો માંથી છે.
  • આ સવાલ ફજરની નમાઝ વખતે કરવામાં આવ્યો, તેનો અર્થ એ કે આ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સપનામાં થયું હતું, અને પયગંબરોના સપના સત્ય હોય છે.