આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે સૂર્ય કયામતના દિવસે લોકોથી ખૂબ જ નજીક આવી જશે, એટલો નજીક કે તેમના માથાથી એક માઈલ જેટલો જ દૂર હશે. તાબઇ સુલૈમ બિન આમિર રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહની કસમ! હું નથી જાણતો કે માઈલનો અર્થ શું છે, ખરેખર ધરતી પણ એક માઈલનું જે અંતર હોય છે તે પ્રમાણે અથવા આંખમાં નાખવામાં આવતો સુરમાની કાડી જેટલું અંતર? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: લોકો પોતાના કર્મો પ્રમાણે પરસેવામાં ડૂબેલા હશે; કેટલાક લોકો તેમની ઘૂંટી સુધી તો કેટલાક તેમના ઘૂંટણ સુધી અને કેટલાક તો તેમની કમર સુધી ડૂબેલા હશે, જ્યાં તેઓ તેમની સરવાલ બાંધતા હોય છે અને કેટલાક લોકો તો મોઢા સુધી ડૂબેલા હશે, જેના વડે તેઓ વાતચીત કરતા હોય છે. રિવાયત કરનારે કહ્યું: છેલ્લા શબ્દો વર્ણન કર્યા પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મોઢા તરફ ઈશારો કર્યો.