ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને જણાવ્યું કે જ્યારે તેઓ હબશા શહેરમાં હતા તો તેમણે એક ચર્ચ જોયું -જેને મારિયહ કહેવામાં આવતું હતું- જેમાં મૂર્તિઓ, પથ્થરો, અને અલગ લગ પ્રકારના ચિત્રો હતા, આ જોઈ તેમને આશ્ચર્ય થયું! તો નબી ﷺ એ આ મૂર્તિઓનું કારણ જણાવ્યું; અને કહ્યું: જ્યારે તેમના માંથી નેક લોકો મૃત્યુ પામતા, તો તેઓ તેની કબર પાસે મસ્જિદ બનાવી દેતા, અને તેઓ ત્યાં નમાઝ પઢતા અને તેમાં આ મૂર્તિઓ લગાવી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તેઓ અલ્લાહની મખલૂક (સર્જન) માંથી સૌથી ખરાબ લોકો છે; કારણકે તેમનો આ અમલ તેમને શિર્ક તરફ લઈ જાય છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • કબરો પર મસ્જિદ બનાવવી અથવા ત્યાં નમાઝ પઢવી અથવા મસ્જિદમાં કોઈ મૃતકને દફન કરવું હરામ છે; કારણકે આ દરેક કાર્યો શિર્ક તરફ લઈ જાય છે.
  • કબરો પર મસ્જિદ બનાવવી અને તેમાં મૂર્તિઓ લગાવવી યહૂદીઓ અને નસ્રાનીઓનો અમલ છે, જે પણ આવું કરશે તે તેમના જેવો ગણવામાં આવશે.
  • સજીવ વસ્તુઓનું ચિત્ર બનાવવું હરામ છે.
  • જે વ્યક્તિ કબર પર મસ્જિદ બનાવશે અને તેમાં ચિત્રો લગાવશે તે અલ્લાહની મખલૂક માંથી સૌથી ખરાબ વ્યક્તિ ગણવામાં આવશે.
  • શરીઅતનો કાનૂન તૌહીદના માર્ગની સંપૂર્ણ હિફાજત કરે છે, તે દરેક માર્ગથી રોકે છે જે શિર્ક તરફ જતો હોય.
  • નેક લોકોના વખાણમાં વધારો કરવા પર રોક લગાવી છે; કારણકે તે શિર્કનું કારણ બને છે.