આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પોતાના બંદાના ત્રણ ગુણોને પસંદ કરે છે અને તેમના ત્રણ ગુણોને નાપસંદ કરે છે, જે ગુણો પસંદ કરે છે તેમાંથી: તેને એકલો માની ફક્ત તેની જ બંદગી કરવામાં આવે, અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ઠેરાવવામાં ન આવે, અને અલ્લાહના કરાર, કુઆન અને તેના પયગંબરની સુન્નતને અપનાવવામાં આવે, અને મુસલમાનોના સમુદાયથી અલગ થવામાં ન આવે. અને તે નાપસંદ કરે છે કે તમે નકામી વાતો, જેની કોઈ જરૂર ન હોય, જે થયું ન હોય તેના વિષે સવાલ કરવા, અથવા લોકો પાસે જરૂરિયાત વિષે પૈસા માંગવા, અને માલનો બગાડ કરવો, તેને અયોગ્ય રીતે ખર્ચ કરવો, અને તેને નુકસાન પહોંચાડવું.