ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ», ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહની કસમ ! જ્યારથી આ વાત મેં નબી ﷺ પાસેથી સાંભળી છે, ત્યારથી મેં તેઓની કસમ નથી ખાધી, ન તો મારા તરફથી અને ન તો બીજાના તરફથી. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તમારા પૂર્વજોની કસમો ખાવા પર રોક લગાવી રહ્યો છે, જ્યારે તમને કસમ ખાવાની જરૂર પડે તો તમે અલ્લાહ સિવાય બીજા કોઈની કસમ ન ખાઓ, અને ન તેના સિવાય કોઈના નામની કસમ ન ખાઓ. ફરી ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે જ્યારથી મેં આ વાત નબી ﷺ દ્વારા સાંભળી છે, મેં ક્યારેય તેઓના નામની કસમો ખાધી નથી, ન તો મારા તરફથી, અને ન તો કોઈના માટે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • અલ્લાહ સિવાય બીજાના નામની કસમ ખાવી હરામ છે, ખાસ કરીને પૂર્વજોના નામની કારણકે તે અજ્ઞાનતાના સમયની આદત છે.
  • કસમ: કોઈ કામમાં ભાર આપવા અલ્લાહની કસમ અથવા અલ્લાહના નામોની કસમ અથવા અલ્લાહના ગુણોની કસમ ખાવી.
  • ઉમર રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા કે કેટલી જલ્દી તેમણે આજ્ઞાનું પાલન કર્યું, અને તેમની સુંદર સમજવાની શક્તિ અને ચપળતાનું વર્ણન.