નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ભયાનક અવાજ સાંભળ્યો, જેવું કે કોઈ વસ્તુ નીચે જોરથી પડી રહી હોય, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠેલા સહાબાઓને આ અવાજ વિશે સવાલ કર્યો, તેઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ ભયાનક અવાજ જે તમે સાંભળ્યો, તે એક પથ્થરનો અવાજ છે, જે આજથી સિત્તેર વર્ષ પહેલાં જહન્નમમાં નાખવામાં આવ્યો હતો, હમણાં તે જહન્નમની નીચે પહોંચ્યો છે, જેનો તમે અવાજ સાંભળ્યો.