નબી ﷺ એ જણાવ્યું કે વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજરમાં તેના માતા પિતા, તેના દીકરા અને દીકરીઓ તેમજ દરેક લોકો કરતા વધુ પ્રિય ન બની જાઉં, નબી ﷺ ને મોહબ્બત કરવાનો અર્થ એ કે નબી ﷺ નું અનુસરણ કરવામાં આવે, તેમની મદદ કરવામાં આવે અને તેમણે રોકેલા કાર્યોથી રુકી જવામાં આવે.