આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ કાર્યોનો આદેશ આપ્યો: પહેલું: અલ્લાહથી ડરવું, અલ્લાહથી ડરવાનો અર્થ એ છે કે અનિવાર્ય કરેક કાર્યો કરવા અને અવૈધ કરેલ કાર્યોથી બચવું, દરેક જગ્યા, દરેક સમયે અને દરેક સ્થિતિમાં, એકાંતમાં અને જાહેરમાં, તંદુરસ્તી અને બીમીરી દરેક સ્થિતિમાં. બીજું: જો તમારાથી કોઈ ગુનાહનું કામ થઇ જાય, તો તેના પછી કોઈ નેકી કરવી જેમકે નમાઝ, સદકા, નેકી, સંબંધ જોડવા, તૌબા કરવી વગેરે; કારણકે તેનાથી ગુનાહ ખત્મ થઇ જશે. ત્રીજું: લોકો સાથે સારો વ્યવહાર કરવો, જેમકે તેમની સાથે હસતા મોઢે મુલાકાત કરવી, નરમી, વિનમ્રતા અપનાવવી, સારા કાર્યો કરવા અને તેમને નુકસાન પહોંચાડવાથી બચવું.