ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે રમઝાનના છેલ્લા દસ દિવસો આવતા તો ખૂબ જ ઈબાદત કરતાં અને અલ્લાહનું અનુસરણ કરતાં તેમજ દરેક પ્રકારના ભલાઈના કામોમાં ઈબાદતોમાં ખૂબ ભાગ લેતા, તે રાતોની મહાનતાના કારણે, જેથી લૈલતુલ્ કદ્રને પ્રાપ્ત કરી શકે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • રમઝાનના દિવસોમાં ખૂબ ઈબાદતો અને અલ્લાહનું અનુસરણ કરવા પર પ્રોત્સાહન, ખાસ કરીને રમઝાનના છેલ્લા દસ દિવસોમાં.
  • રમઝાનના છેલ્લા દસ દિવસો રમઝાનની એકવીસમી રાતથી શરૂ થાય છે અને છેલ્લે સુધી રહે છે.
  • સમયને મહત્વપૂર્ણ સમજી તેમાં ખૂબ જ ઈબાદત કરવી મુસ્તહબ છે.