નબી ﷺના કેટલાક સહાબાઓને લલતુલ્ કદર સપનામાં રમઝાનના છેલ્લા સાત દિવસોમાં બતાડવામાં આવી. તો નબી ﷺએ કહ્યું: હું જોઈ રહ્યો છું કે તમને સૌને લલતુલ્ કદર સપનામાં રમઝાનના છેલ્લા સાત દિવસોમાં બતાડવામાં આવી છે, તો જેને તેની ઈચ્છા હોય, તેની પ્રાપ્તિ માટે ચાહત હોય તો તેણે તેને શોધવામાં મહેનત કરવી જોઈએ, અને વધુમાં વધુ નેક અમલ કરવા જોઈએ, શક્ય છે કે તે રમઝાનના છેલ્લા સાત દિવસોમાં હોય, જે રમઝાનમાં ચોવીસમી રાત્રે શરૂ થશે, જો રમઝાન ત્રીસ દિવસનો હશે તો, જો રમઝાનનો મહિનો ઓગળત્રીસ દિવસનો હશે તો પછી તે ત્રેવીસમી રાત્રે શરૂ થઈ જશે.