આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ન તો પોતાને નુકસાન પહોંચાડવું જાઈઝ છે અને ન તો બીજા કોઈનું નુકસાન કરવું જાઈઝ છે, પોતે પોતાને નુકસાન કરવાથી બચવું જોઈએ અને બીજાને પણ નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ, બન્ને વાતો જાઈઝ (માન્ય) નથી. કોઈના માટે પણ નુકસાનના બદલે નુકસાન પહોંચાડવું જાઈઝ નથી; કારણકે નુકસાનને નુકસાનથી દૂર નથી કરી શકતા, ફક્ત કિસાસ (બદલા) રૂપે, અને તે પણ તે વખતે જાઈઝ છે કે અત્યાચાર કરવામાં ન આવે.